સામાન્ય રીતે લોકોને ત્વચા સબંધિત ઘણી બીમારી થતી હોઈ છે, જેમાંથી સૌથી વધારે બીમારી જોઈ કોઈ થાય તો એ છે ધાધર અને ખરજવું. ઘણા લોકોને આ સમસ્યા હશે અને ઘણા લોકો ઘણા બધા સમયથી આ સમસ્યાથી પીડાતા હશે.
ઘણી વખત ખંજવાળનું સૌથી મોટું કારણ એ સ્વચ્છતાનો અભાવ પણ હોઈ શકે છે. માટે હમેશાં સ્વચ્છ રહેવું જોઈએ. આ સિવાય ત્વચામાં ખંજવાળના બીજા ઘણા અલગ અલગ કારણો પણ હોઈ શકે છે.
ખંજવાળની સારવાર માટે તમે ઉપાયો કરીને થાક્યા હોવ તો અહી આપેલ ઉપાય એક વાર અચૂક અજમાવી જોજો.
અહી આપેલ ઉપાયથી તમે માત્ર થોડા જ દિવસોમાં ખંજવાળથી છુટકારો લઇ શકો છો.
ધાધર, ખંજવાળની સમસ્યામાં લોકોને ઘણી બધી ખંજવાળ આવે છે અને ત્યારબાદ ખુબ જ બળતરા થાય છે.
જો તમે આ સમસ્યાથી કંટાળી ગયા હોઈવ, મોંઘી દવાઓ પીને થાકી ગયા હોવ તો આજે આ લેખમાં એક ખુબ જ આસાન અને ઘરે બેઠા કરી શકાય એવા એક ઉપાય વિષે વાત કરી છે.
મિત્રો , તમને જાણ ન હોઈ તો કહી દઈએ કે ખરજવું એ એક ગંભીર સમસ્યા ગણવામાં આવે છે, ઘણી વખત તે માથાની ત્વચા પર પણ થાય છે અને જેના કારણે વાળ ખરવાની સમસ્યામાં ખુબ જ વધારો થાય છે.
ખંજવાળ દુર કરવાના ઘણા બધા ઉપાયો કરી કરીને પણ જો તમે તઃકી ગયા હોઈ અને કઈ ફેર ન પડ્યો હોઈ તો તમે આ અહી આપેલ ઉપાય એકવાર જરૂર કરજો.
આ માટે તમારે બે વસ્તુની જરૂર પડશે , એક તો નારિયેળનું તેલ અને બીજું છે કપૂર.
હા મિત્રો, આ વસ્તુના ઉપયોગથી તમે આસાનીથી ખરજવાથી બચી શકશો અને રાહત મેળવી શકશો. આનાથી તમને ગમે તેવું ભયંકર ખરજવું હશે એ પણ આસાનીથી મટી જશે. તો જાણીલો આ ઉપાય વિષે તમેપણ...
આ માટે તમે નારિયેળ તેલમાં કપૂરની બે ગોટી નાખીલો. આમ તેને ખુબ જ સારી રીતે મિક્સ કરીલો.
ત્યારબાદ જ્યાં તમને ખંજવાળ આવતી હોઈ ત્યાં લીંબુના એક ટુકડા વડે તેને લગાવીલો. મિત્રો એવું કહેવામાં આવે છે કે લીંબુથી ઇન્ફેકશન વધતું નથી.
મિત્રો એવું પણ કહેવામાં આવે છે કે, નાળિયેર તેલ એ ત્વચાની એલર્જી માટે સૌથી સલામત ઘરેલું ઉપચાર છે. તેમાં ઘણા બધા બળતરા વિરોધી પણ તત્વો હોઈ છે.
આ સાથે સાથે જો તમને ખંજવાળની સમસ્યા હોઈ તો ન્હાતા પહેલા નારિયેળ તેલ લગાવવું જોઈએ આ સિવાય તમે ન્હાયા બાદ પણ અ તેલનો ઉપયોગ કરી શકો છો.
આ સિવાય બેકિંગ સોડામાં ઘણા એવા ગુણો હોય છે અને તે ત્વચાની ગણી બધી સમસ્યાઓ, અને ખાસ કરીને ત્વચાની ખંજવાળની સમસ્યાઓમાં ખુબ જ મદદરૂપ થાય છે. આમ બેકિંગ સોડાને પાણીમાં ભેળવીને પેસ્ટ બનાવો અને તેને ખંજવાળવાળી જગ્યા પર લગાવવાથી તમને ખુબ જ રાહત મળશે.
મિત્રો જો તમને આ માહિતી કામની લાગી હોઈ તો તેને તમારા મિત્રો અને સગાસબંધીઓ સુધી શેર જરૂર કરજો.
નોંધ : અહી આપેલ ઉપાય અજમાવતા પહેલા ડોક્ટરની સલાહ જરૂર લેવી.
Tags:
Helth